શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે બે અઠવાડિયા સુધી ખાંડ ખાવાનું બંધ કરી દો તો શું થશે? ખાંડ આપણા રોજિંદા ખોરાકમાં ઘણી રીતે સામેલ હોય છે. ચા-કોફીથી લઈને સ્નેક્સ, સોસ અને મીઠાઈઓમાં પણ. પરંતુ જો તમે ખાંડનું સેવન બંધ કરો, તો તમારા શરીર અને મનમાં આશ્ચર્યજનક ફેરફારો જોવા મળી શકે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક સ્ટડી પ્રમાણે, વધુ પડતી ખાંડનું સેવન માનસિક સમસ્યાઓ અને ડિપ્રેશનનું જોખમ વધારી શકે છે. આ ઉપરાંત, BMJ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં જણાવાયું છે કે ખાંડનું પ્રમાણ ઘટાડવાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે.