જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા સંબંધિત કડક નિર્ણયો લીધા છે. આના પગલે ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોની વિગતો સામે આવી છે. રાજ્યમાં લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવી છે, અને વિઝિટર વિઝા પર આવેલા નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

