Mahakumbh 2025 : પ્રયાગરાજમાં થોડા દિવસોમાં મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તેને હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે, મહાકુંભ 12 વર્ષમાં એકવાર યોજાય છે. જેનું આયોજન દેશના મુખ્ય યાત્રાધામો પર કરવામાં આવે છે. મહાકુંભ એ આસ્થા અને ધર્મનો સૌથી મોટો મેળો છે. એવું માનવામાં આવે છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેના ભૂતકાળના તમામ પાપ નષ્ટ થઈ જાય છે.

