રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ફરી એકવાર પોતાની દરિયાદિલીનું ઉદાહરણ આપ્યું છે. તેમણે મુંબઈ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નોલોજી (ICT)ને 151 કરોડ રૂપિયાનું બિનશરતી ડોનેશન આપ્યું છે. આ ડોનેશનને મુકેશ અંબાણીએ પોતાના ગુરુ પ્રોફેસર એમ.એમ. શર્માને ‘ગુરુ દક્ષિણા’ તરીકે અર્પણ કર્યું છે. આ ખાસ પ્રસંગે તેમણે ICTમાં પ્રોફેસર શર્માની બાયોગ્રાફી ‘ડિવાઇન સાયન્ટિસ્ટ’ના લોન્ચિંગ ઇવેન્ટમાં ત્રણ કલાકથી વધુ સમય વિતાવ્યો હતો.