UNSC: પહેલગામ આતંકવાદી હુમલા અને 26 લોકોની ક્રૂર હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશોની સેનાઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે જેના કારણે આ ક્ષેત્રમાં મોટા યુદ્ધનો ખતરો છે. આવા સમયે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે બંધ રૂમમાં ચર્ચા કરી છે. માહિતી અનુસાર, આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાના મુદ્દા પર પાકિસ્તાનને આકરી ઠપકો આપવામાં આવ્યો હતો.