જગદ્ગુરુ રામભદ્રાચાર્યએ તાજેતરમાં પ્રખ્યાત આધ્યાત્મિક નેતા પ્રેમાનંદ મહારાજની લોકપ્રિયતા અને કાર્યો વિશે મોટું નિવેદન આપ્યું છે. એક પોડકાસ્ટમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે, "હું પ્રેમાનંદજી સાથે કોઈ દ્વેષ નથી રાખતો, તેઓ મારા સંતાન જેવા છે, પરંતુ હું તેમને ન તો વિદ્વાન કહું છું કે ન તો ચમત્કારી." તેમણે વધુમાં કહ્યું, "લોકપ્રિયતા થોડા દિવસની હોય છે. તેમણે હજુ વધુ વાંચવું-લખવું જોઈએ."