Surya Grahan 2023: ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ મહત્વની ખગોળીય ઘટનાઓ છે. જ્યોતિષમાં ગ્રહણને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની શુભ અને અશુભ અસરો તમામ 12 રાશિઓ પર પડે છે. આ વર્ષે કુલ 4 ગ્રહણ થવાના છે. જેમાંથી બે ગ્રહણ થયા છે. હજુ બે ગ્રહણ બાકી છે. ઓક્ટોબર મહિનામાં 15 દિવસમાં 2 ગ્રહણ થશે. 14 ઓક્ટોબર 2023ના રોજ સૂર્યગ્રહણ થશે. આ પછી 28 ઓક્ટોબરે ચંદ્રગ્રહણ થશે. આ ચંદ્રગ્રહણ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ હશે.

