પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે આજે ગુજરાતના ગાંધીનગરમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી, જે દરમિયાન બંને નેતાઓએ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ કર્યો હતો. ચાન્સેલર મેર્ઝની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂરા થવાના ખાસ પ્રસંગને ચિહ્નિત કરે છે.

