વક્ફ બોર્ડે કર્ણાટકના વિજયપુરામાં ખેડૂતોની 1200 એકર જમીનનો દાવો કર્યો છે. વક્ફ બોર્ડે ખેડૂતોને નોટિસ પણ જારી કરી છે. હવે વકફ બોર્ડની આ નોટિસ બાદ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. વાસ્તવમાં, શાહ અમીનુદ્દીન દરગાહે વિજયપુરા જિલ્લાના હોનવાડા ગામમાં 1200 એકર જમીન પર પોતાનો અધિકાર વ્યક્ત કર્યો છે. સ્થાનિક તહસીલદારે જમીનના માલિક ખેડૂતોને નોટિસ મોકલીને તેમનો જવાબ માંગ્યો છે. દરમિયાન તિકોટા તાલુકાના હોનવાડા ગામના ખેડૂતોએ આ અંગે સ્થાનિક ધારાસભ્ય અને કોંગ્રેસ સરકારમાં મંત્રી એમબી પાટીલને ફરિયાદ કરી છે.

