દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બરે તેમના પદ પરથી નિવૃત્ત થયા છે. તેમણે સુપ્રીમ કોર્ટના ટોચના હોદ્દા પરથી નિવૃત્ત થતાં પહેલાં 'બુલડોઝર જસ્ટિસ' પર પોતાનો છેલ્લો આદેશ આપ્યો હતો. તેમણે રાજ્ય સરકારોની ગેરકાયદેસર રીતે મિલકતોને તોડી પાડવાની પ્રથા પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તે જ સમયે, ચંદ્રચુડના નિવૃત્તિ પછી, હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તેમનું નિવૃત્તિ પછીનું જીવન કેવું રહેશે. તેણે પોતે આ અંગે વાત કરી છે.

