Canada Indian Tensions: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કેનેડામાં રહેતા લોકો અને ત્યાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ જ ચિંતિત છે. આ દરમિયાન કેનેડાના ઉચ્ચ અધિકારી ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર દ્વારા એક રિપોર્ટ બહાર આવ્યો છે. કેનેડાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને જણાવ્યું કે બંને દેશો વચ્ચેના રાજદ્વારી વિવાદને કારણે વર્ષ 2023માં કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સ્ટડી પરમિટની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. તેમનું માનવું છે કે ભારતીયો માટે સ્ટડી પરમિટની સંખ્યામાં ટૂંક સમયમાં વધારો થવાની શક્યતા નથી.

