કેનેડાએ તેના ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર, ત્યાંના સરહદી અધિકારીઓ કોઈપણ સમયે સ્ટડી, વર્ક અથવા પ્રવાસી વિઝા લીધેલા લોકોના કામચલાઉ નિવાસ વિઝા રદ કરી શકે છે. નવા નિયમો હેઠળ, સરહદ અધિકારીઓની સત્તાઓમાં વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં અમલમાં આવેલા નવા ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન નિયમો, સરહદ અધિકારીઓને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) અને ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા (TRV) જેવા કામચલાઉ નિવાસી દસ્તાવેજો રદ કરવા માટે પહેલા કરતાં વધુ સત્તા આપે છે.

