Earthquake: આસામના ગુવાહાટી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોમવારે સવારે થોડી સેકન્ડ માટે આંચકા અનુભવાયા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સોનિતપુર હતું. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો ભયભીત થઈ ગયા અને ઘરની બહાર નીકળી ખુલ્લા આકાશ નીચે આવી ગયા. જો કે, હજુ સુધી ક્યાંયથી પણ કોઈપણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તમને જણાવી દઈએ કે રવિવારે પણ દેશના રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

