દિલ્હીના બુરારીમાં કેદારનાથ મંદિરના નિર્માણને લઈને દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હવે જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આને લઈને મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કેદારનાથમાં સોનાનું કૌભાંડ થયું છે, તે મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી? તેમણે પૂછ્યું, "ત્યાં કૌભાંડ થયા પછી હવે દિલ્હીમાં કેદારનાથનું નિર્માણ થશે, પછી કૌભાંડ થશે.’

