અત્યારે ટેકનોલોજીની દુનિયામાં ચારેબાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા છે. ઘણા લોકોને એવો ડર સતાવી રહ્યો છે કે AI આવવાથી નોકરીઓ જતી રહેશે. ખાસ કરીને IT સેક્ટર અને ઓફિસમાં બેસીને થતા કામોમાં રોબોટ કે સોફ્ટવેર માણસની જગ્યા લઈ લેશે તેવી ચિંતા છે. જોકે, દિગ્ગજ ટેક કંપની ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન.આર. નારાયણ મૂર્તિ આ બાબતે અલગ મત ધરાવે છે.

