New Parliament Building: કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન, અમિત શાહે બુધવારે જણાવ્યું હતું કે નવી સંસદનું ઉદ્ઘાટન 28 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આઝાદી કા અમૃત મહોત્સવ (AKAM)ની ઉજવણી દરમિયાન કરવામાં આવશે. તેમણે સેન્ગોલ (રાજદંડ)ની પુનઃ રજૂઆતની પણ જાહેરાત કરી હતી, જે સ્વતંત્રતાનું 'મહત્વપૂર્ણ ઐતિહાસિક' પ્રતીક છે, કારણ કે તે અંગ્રેજો પાસેથી ભારતીયોને સત્તા સોંપવાનું પ્રતીક છે.

