Odisha Train Accident: Odisha Train Accidentમાં વધુ એક ટ્રેન અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. ઓડિશાના બારગઢમાં સોમવારે એક માલગાડીને અકસ્માત નડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 2 મેની સાંજે ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન દુર્ઘટના થઈ હતી, જેમાં 275 લોકોના મોત થયા હતા અને 1000થી વધુ લોકો ઘાયલ થયા હતા. જો કે, ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટનાના 51 કલાક બાદ ટ્રેન ફરી એકવાર પાટા પર દોડવા લાગી છે. ટ્રેન દુર્ઘટના બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પાસે થઈ હતી.

