પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર (FTA) સમગ્ર વિશ્વમાં સ્થિરતા લાવશે એવા સમયે જ્યારે દરેક જગ્યાએ ઉથલપાથલ છે. પીએમ મોદીએ કહ્યું કે આ કરાર વૈશ્વિક સુખાકારી માટે સહિયારી સમૃદ્ધિ માટે એક બ્લુપ્રિન્ટ છે. ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વેપાર કરાર (ATF) પર વાટાઘાટો પૂર્ણ થયા પછી મોદી યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા.

