Valsad News: જિલ્લાના કપરાડા તાલુકાના વાડી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ભેદી આંચકાઓ અનુભવાય રહ્યા છે. આથી ગામમાં ભયનો માહોલ છે. આ આંચકાઓને કારણે ગામમાં જમીનમાં 500 મીટર જેટલી લાંબી તિરાડ પડી છે. આથી લોકોમાં ભયનો માહોલ છે. તાલુકામાં જાણ થતાં જ તંત્રની ટીમો પણ દોડતી થઈ છે. જો કે, હજુ સુધી આ આંચકા ભૂકંપના છે કે અન્ય કોઈ કારણ? તે જાણી શકાયું નથી.

