કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર અથવા 'વિકસિત ભારત' બનાવવાના એજન્ડાને આગળ વધારવામાં બેન્કિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. બેન્ક ઓફ મહારાષ્ટ્રના 90માં સ્થાપના દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, નાણામંત્રીએ કહ્યું, "વડાપ્રધાન દ્વારા નિર્ધારિત કાર્યસૂચિને આગળ ધપાવવામાં બેન્કોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે અને બેન્કોની ભૂમિકા સાથે, અમે તેને વેગ આપીશું.

