રમઝાનના અંતિમ દિવસે Yemenની રાજધાની સનામાં જકાત એટલે કે આર્થિક મદદ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 85 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ નાસભાગમાં 322 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. ઘાયલોમાં 13 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. મૃતકો અને ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. હુથીના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્રની મદદ વિના ત્યાંના વેપારીઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોએ ભાગ લીધો હતો.

