PNB KYC Update: પંજાબ નેશનલ બેંક (PNB), ભારતની અગ્રણી પબ્લિક સેક્ટર બેંક એ તેના ગ્રાહકોને તાત્કાલિક KYC ડિટેલ્સ અપડેટ કરવા માટે ચેતવણી જાહેર કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમોનું પાલન કરવા માટે, PNB એ ગ્રાહકોને 8 ઓગસ્ટ, 2025 સુધીમાં KYC અપડેટ કરવા જણાવ્યું છે. જો આ સમયમર્યાદામાં KYC અપડેટ નહીં થાય, તો ગ્રાહકોના બેંક ખાતાઓ પર રેસ્ટ્રિક્શન લાગુ થઈ શકે છે, જેનાથી બેંકિંગ સેવાઓમાં અડચણ આવી શકે છે.