PMAY-U 2.0: દરેક વ્યક્તિનું પોતાનું ઘર બનાવવાનું સપનું હોય છે, પરંતુ આ સપનાને સાકાર કરવું આજના સમયમાં પડકારજનક બની રહ્યું છે. વધતી જતી કિંમતો અને હોમ લોનની EMI (માસિક હપ્તો) ના ભારને કારણે ઘણા લોકો માટે આ સપનું અધૂરું રહી જાય છે. ત્યારે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના લાખો પરિવારો માટે એક ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. સરકારે હોમ લોન પર 4% વ્યાજ સબસિડી આપવાનો મોટો નિર્ણય લીધો છે, જેનાથી EMI નો બોજ ઘટશે અને ઘર ખરીદવું પહેલા કરતા વધુ સરળ બનશે.

