Pradhan Mantri Fasal Bima Yojana: ભારતના અન્નદાતા ગણાતા ખેડૂતોને કુદરતી આફતો જેવી કે દુષ્કાળ, પૂર, અતિવૃષ્ટિ, જીવાત અને રોગોથી થતા પાકના નુકસાન સામે આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY). ખેડૂતો માટે આ યોજના 'સુરક્ષા કવચ' સમાન સાબિત થઈ રહી છે.

