RBI Cyber Fraud Guidelines : દેશમાં સતત વધી રહેલા સાયબર ફ્રોડના કિસ્સાઓને ડામવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કમર કસી છે. સુપ્રીમ કોર્ટના 4 ઓગસ્ટના આદેશ બાદ, આરબીઆઈએ એક નવી ડ્રાફ્ટ માર્ગદર્શિકા રજૂ કરી છે. આ નવા નિયમ મુજબ, જો કોઈ બેન્ક ખાતું સાયબર ફ્રોડમાં વપરાતું હોવાની શંકા જશે (જેને 'મની મ્યૂલ' એકાઉન્ટ કહેવાય છે), તો તેમાંથી 20 દિવસ સુધી પૈસા ઉપાડી શકાશે નહીં.

