કેન્દ્ર સરકારે કર્મચારીઓના પેન્શનમાં વિલંબની સમસ્યાને ગંભીરતાથી લીધી છે. સરકારના આ સ્ટેપથી પેન્શનધારકોને કોઈપણ વિલંબ વગર સમયસર પેન્શન મળશે. અત્યાર સુધી પેન્શનરોની ફરિયાદ હતી કે તેમને તેમનું પેન્શન સમયસર મળતું નથી. કેટલીકવાર પ્રોસેસ કરવામાં મહિનાઓ લાગે છે. હવે કેન્દ્ર સરકારે પેન્શનરો માટે સમયમર્યાદા નક્કી કરી છે જે મુજબ પેન્શનની પ્રોસેસ કરવામાં આવશે. આ સંદર્ભમાં, નાણા મંત્રાલયે એક આદેશ જારી કર્યો છે, જેમાં તમામ અધિકારીઓને સીસીએસ (પેન્શન) નિયમો 2021 મુજબ સમયમર્યાદાનું સખતપણે પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

