Get App

15 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યા છે UPI પેમેન્ટના નિયમો: શું સામાન્ય માણસ માટે પેમેન્ટ મોંઘુ થશે? જાણો A ટુ Z માહિતી

UPI new rules 2026: 15 ઓક્ટોબર 2026થી UPI પેમેન્ટના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. શું હવે Google Pay કે PhonePe વાપરવા પર ચાર્જ લાગશે? જાણો કોને મળશે છૂટ અને કોણે ચૂકવવો પડશે ચાર્જ.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2026 પર 10:06 AM
15 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યા છે UPI પેમેન્ટના નિયમો: શું સામાન્ય માણસ માટે પેમેન્ટ મોંઘુ થશે? જાણો A ટુ Z માહિતી15 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યા છે UPI પેમેન્ટના નિયમો: શું સામાન્ય માણસ માટે પેમેન્ટ મોંઘુ થશે? જાણો A ટુ Z માહિતી
સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સામાન્ય યુઝર્સે હવે કોઈ ચાર્જ આપવો પડશે? તો તેનો જવાબ છે - બિલકુલ નહીં. સરકાર અને NPCI એ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ બેંક કે UPI એપ ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારનો છૂપો ચાર્જ કે પ્લેટફોર્મ ફી વસૂલ કરી શકશે નહીં.

UPI new rules 2026: જો તમે પણ રોજિંદા જીવનમાં શાકભાજી લેવા, કરિયાણું ખરીદવા કે મિત્રો-પરિવારને પૈસા મોકલવા માટે Google Pay, PhonePe કે Paytm જેવી UPI એપ્સનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને કેન્દ્ર સરકારે UPI ટ્રાન્ઝેક્શન માટે એક નવું મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) માળખું તૈયાર કર્યું છે, જે 15 ઓક્ટોબર 2026 થી લાગુ થવા જઈ રહ્યું છે. આ નવા નિયમોની જાહેરાત થતા જ લોકોમાં ગભરાટ ફેલાયો છે કે શું હવે UPI પેમેન્ટ કરવું મોંઘુ થઈ જશે? પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. સામાન્ય જનતા માટે UPI પહેલાની જેમ જ બિલકુલ ફ્રી રહેશે. તો ચાલો સરળ ભાષામાં સમજીએ કે 15 ઓક્ટોબરથી શું બદલાશે અને આ નિયમોની કોના પર અસર થશે.

સામાન્ય ગ્રાહકો માટે UPI રહેશે 100% ફ્રી

સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સામાન્ય યુઝર્સે હવે કોઈ ચાર્જ આપવો પડશે? તો તેનો જવાબ છે - બિલકુલ નહીં. સરકાર અને NPCI એ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ બેંક કે UPI એપ ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારનો છૂપો ચાર્જ કે પ્લેટફોર્મ ફી વસૂલ કરી શકશે નહીં. એક વ્યક્તિથી બીજી વ્યક્તિ (P2P) ને થતા તમામ ટ્રાન્ઝેક્શન, પછી ભલે તે 10 રૂપિયાના હોય કે 1 લાખ રૂપિયાના, તે સંપૂર્ણપણે ફ્રી જ રહેશે. આ પેમેન્ટ કરવા માટે કોઈ મંથલી લિમિટ કે કોટા પણ રાખવામાં આવ્યો નથી.

નવો MDR ચાર્જ કોને લાગુ પડશે?

આ નવો ચાર્જ માત્ર વેપારી લેવડદેવડ (વ્યક્તિથી મર્ચન્ટ એટલે કે P2M) પર જ લાગુ થશે. તેમાં પણ એક મોટી રાહત એ છે કે 2000 રૂપિયા સુધીના કોઈપણ મર્ચન્ટ પેમેન્ટ પર કોઈ જ ચાર્જ લાગશે નહીં.

2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે?

જો તમે કોઈ દુકાનદાર કે વેપારીને 2000 રૂપિયાથી વધુનું પેમેન્ટ કરો છો, તો જ ચાર્જ લાગુ થશે. આ ચાર્જનું માળખું નીચે મુજબ છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો