Morgan Stanley downgrade India: વિદેશી બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલી (Morgan Stanley) એ ભારતીય શેરબજારને લઈને એક મોટો નિર્ણય લીધો છે. ફર્મે ભારતનું રેટિંગ ઘટાડીને હવે "ઇક્વલવેઇટ" (Equal-weight) કરી દીધું છે. શેરબજારની ભાષામાં આ રેટિંગને "ન્યુટ્રલ" રેટિંગની બરાબર માનવામાં આવે છે. દુનિયાભરમાં ચાલી રહેલી આર્થિક અનિશ્ચિતતાઓ અને ભારતીય બજારના ઊંચા વેલ્યુએશનને કારણે બ્રોકરેજ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

