Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારે દેશના તમામ વર્ગોનું ખાસ ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો. નાણામંત્રીએ આજે મધ્યમ વર્ગ માટે મોટી રાહતની જાહેરાત કરી અને નવી ટેક્સ પ્રણાલી હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની જાહેરાત કરી. જ્યારે નોકરી કરતા લોકો માટે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે, સરકારે શેર અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ દ્વારા મળતા ડિવિડન્ડ પર લાદવામાં આવતી TDS ની લિમિટ વધારવાની પણ જાહેરાત કરી.