મિડલ ઈસ્ટમાં તણાવ સતત વધી રહ્યો છે. 28 ફેબ્રુઆરીના રોજ ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈઝરાયેલના મિસાઈલ હુમલાના જવાબમાં તેમણે હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી છે. આ દરિયાઈ રસ્તો દુનિયાભરમાં કાચા તેલના સપ્લાય માટે ખૂબ જ મહત્વનો છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો માહોલ વધુ બગડશે તો ભારત કાચા તેલની સમસ્યાને કેવી રીતે પહોંચી વળશે?

