બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. તો સાથે અનેક પ્રકારના આંદોલન પણ થયાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર ખાતે ભક્તોએ વિરોધ નોંધાયો છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બાંગ્લાદેશમાં ઇસ્કોનના સંતની ધરપકડ કરવામાં આવી હતી. ઇસ્કોનના સંતની ધરપકડના વિરોધમાં પ્રાર્થનાસભા થકી વિરોધ કરવામાં આવ્યો છે.

