ED investigation: રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા રિલાયન્સ ગ્રૂપની કંપનીઓ સાથે જોડાયેલા 17,000 કરોડ રૂપિયાના કથિત લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને ફરી એકવાર પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 7થી 10 દિવસમાં ED તેમને ફરીથી દિલ્હી સ્થિત હેડક્વાર્ટરમાં હાજર થવા માટે સમન્સ મોકલી શકે છે. આ તપાસમાં અંબાણીના બેંકિંગ વિગતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે.

