E20 petrol rules: સામાન્ય માણસ માંડ માંડ બચત કરીને પોતાના સપનાની ગાડી ખરીદતો હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દેશભરના વાહનચાલકો એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. પેટ્રોલ પંપ પરથી E20 (ઇથેનોલ બ્લેન્ડેડ) પેટ્રોલ પુરાવ્યા બાદ ગાડીઓનું માઇલેજ ઘટી જવું અને એન્જિનના પાર્ટ્સ ખરાબ થવા જેવી ફરિયાદો સતત વધી રહી હતી. મિડલ ક્લાસના આ રોષ અને ઓટોમોબાઈલ કંપનીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને હવે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વનો અને કડક નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી સરકારનું પૂરું ધ્યાન માત્ર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ નક્કી કરવા પર હતું, પરંતુ હવે ઇંધણની ગુણવત્તા પર પણ સીધી નજર રાખવામાં આવશે.

