કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મોટી જાહેરાત કરી છે કે NCERT તેના પુસ્તકોના પ્રકાશન વધારશે. આ માટે તેણે એમેઝોન કંપની સાથે કરાર પણ કર્યો છે. આ સાથે NCERT આ વર્ષે તેના પુસ્તક પ્રકાશનમાં ત્રણ ગણો વધારો કરશે અને 15 કરોડ પુસ્તકો છાપશે. NCERT અને એમેઝોન વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાને આ વાત કહી.

