વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, પાકિસ્તાનમાં આતંકવાદને ત્યાંની સરકાર અને સેનાનું સીધું સમર્થન છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો સરહદ પારથી આતંકવાદી હુમલાઓ ચાલુ રહેશે, તો પાકિસ્તાને ગંભીર પરિણામો ભોગવવા પડશે.