રાજધાનીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની બહાર થયેલા વિસ્ફોટની તપાસમાં આજે મોટા ખુલાસા સામે આવ્યા છે. આ હુમલામાં 8 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ એક આત્મઘાતી આતંકી હુમલો હતો, જેમાં હ્યુન્ડાઈ I-20 કારમાં વિસ્ફોટકો ભરીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. સૌથી મોટો ખુલાસો એ છે કે આ હુમલા પાછળ ફરીદાબાદના આતંકવાદી મોડ્યુલનો હાથ છે, અને મુખ્ય આરોપી ડૉ. ઉમર મોહમ્મદ છે, જેને પકડાવાનો ડર લાગતાં તેણે આ કૃત્ય કર્યું.

