ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નામ ફરી એકવાર બદલવાના પ્રયાસ પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે ચીનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે. ચીનના આ પગલાને ભારતે "નિરર્થક અને વ્યર્થ" ગણાવીને તેની નિંદા કરી છે.