પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાને વળતો પ્રહાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. આ હુમલામાં 26 નાગરિકોનાં મોત થયાં હતાં. નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેના પ્રમુખો સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આતંકી હુમલાનો જવાબ કેવી રીતે, ક્યારે અને ક્યાં આપવો તે ભારતીય સેના નક્કી કરશે.