Coal India: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની દિગ્ગજ પીએસયુ (PSU) કોલ માઇનિંગ કંપની કોલ ઇન્ડિયાને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે. મંગળવારે મહાવીર જયંતીના કારણે શેરબજાર બંધ રહેશે, તેથી સોમવાર, 30 માર્ચ આ નાણાકીય વર્ષનો છેલ્લો ટ્રેડિંગ દિવસ હશે. આ દિવસે રોકાણકારોની નજર કોલ ઇન્ડિયાના શેર પર ટકેલી રહેશે, કારણ કે કંપનીને 1057 કરોડનો નવો પ્રોજેક્ટ મળ્યો છે.

