Experts View: ભારતીય શેરબજારમાં આજે 30 માર્ચે નબળાઈ સાથે શરૂઆત થવાની શક્યતા દેખાઈ રહી છે. આનું મુખ્ય કારણ ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળતી નબળાઈ છે, જે હાલમાં 22,515 ના સ્તરની આસપાસ કારોબાર કરી રહ્યો છે. બજારમાં અત્યારે ભારે વોલેટિલિટી છે, ત્યારે રોકાણકારોએ કેવી રણનીતિ અપનાવવી જોઈએ તે અંગે એક્સપર્ટ્સે પોતાનો મત રજૂ કર્યો છે.

