Get App

શૅરબજારમાં વોલેટિલિટીને લીધે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ અમૂક સાવચેતી રાખવી

મિશ્ર વૈશ્વિક પરિબળોને લીધે હાલના સમયમાં શૅરબજારમાં વોલેટિલિટી હોવાથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ અમૂક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડથી ટૂંકા ગાળે તેમ જ લાંબા ગાળે કમાણી કરી શકાય છે. પરંતુ પોર્ટફોલિયોનું સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો જ ચક્રવૃદ્ધિનો ખરો ફાયદો રોકાણકારોને થાય છે. સફળ રોકાણકારોની શરૂઆત સારી હોય છે અને તેઓ નાણાકીય ડિસિપ્લિન રાખે છે અને જોખમ પણ ગણતરી કરીને જ લેતા હોય છે

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2023 પર 1:04 PM
શૅરબજારમાં વોલેટિલિટીને લીધે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ અમૂક સાવચેતી રાખવીશૅરબજારમાં વોલેટિલિટીને લીધે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ અમૂક સાવચેતી રાખવી
ટેકનોલોજીનો સદઉપયોગ કરીને પોતાના એક્ટિવ પોર્ટફોલિયોનું સંચાલન જવાબદારીથી કરતા રહેવુ જોઈએ.

મિશ્ર વૈશ્વિક પરિબળોને લીધે હાલના સમયમાં શૅરબજારમાં વોલેટિલિટી હોવાથી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ અમૂક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડથી ટૂંકા ગાળે તેમ જ લાંબા ગાળે કમાણી કરી શકાય છે. પરંતુ પોર્ટફોલિયોનું સંચાલન વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો જ ચક્રવૃદ્ધિનો ખરો ફાયદો રોકાણકારોને થાય છે. સફળ રોકાણકારોની શરૂઆત સારી હોય છે અને તેઓ નાણાકીય ડિસિપ્લિન રાખે છે અને જોખમ પણ ગણતરી કરીને જ લેતા હોય છે.

ઈક્વિટી આધારિત ફંડ્સમાં વધુ પ્રમાણમાં ફાળવણીથી લાંબા ગાળે ફાયદો થઈ શકે છે. નિવૃત્તિ ભંડોળ એકઠુ થઈ શકે છે, તેમ જ બાળકોના ઉચ્ચ ભણતર માટેનો ખર્ચ પણ નીકળી શકે છે. બીજી બાજુ ફિક્સ્ડ ઈનકમ ફંડ્સથી ટૂંકા ગાળાની જરૂરિયાત પુરી કરી શકાય છે જેમ કે કાર ખરીદવી અથવા ઈમરજન્સી ભંડોળ એકત્ર કરવું.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું હોય ત્યારે રોકાણકારો ખૂબ જ ગૂંચવાય છે કારણ કે ઈન્ટરનેટમાં વિપુલ પ્રમાણમાં માહિતી મળી રહે છે. જે નવા રોકાણકારો છે તેમના માટે ઈન્ટરનેટની માહિતી વરદાન સ્વરૂપ છે. નાણાકીય બજાર વિશે મૂળભૂત જાણકારી દરેક રોકાણકારો હોવી જ જોઈએ.

મોટા ભાગના રોકાણકારો તેમના રોકાણ સંબંધિત નિર્ણય ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ ઉપર છોડતા હોય છે. ઘણા રોકાણકારોને પોતાના પોર્ટફોલિયો વિશે વધુ માહિતી પણ હોતી નથી. જોકે, રોકાણકારોએ અમૂક માહિતી રાખવી જોઈએ. આ બાબતે વધુ ગૂંચવણ કરનારી નથી. તેમ જ અમૂક બાબતો શીખવા માટે બહુ સમય જતો નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો