Political Controversy: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતના તાજેતરના નિવેદને રાજકીય ચર્ચાઓને હવા આપી છે. તેમણે નાગપુરમાં એક બુક લોન્ચ ઇવેન્ટમાં કહ્યું કે, "75 વર્ષની ઉંમરે નેતાઓએ રિટાયર થઈ જવું જોઈએ અને બીજાઓને તક આપવી જોઈએ." આ નિવેદનને ઘણા લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોડી રહ્યા છે, કારણ કે મોદી આ વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થશે, જ્યારે ભાગવત પોતે 11 સપ્ટેમ્બરે 75 વર્ષના થશે.