Bihar Politics: બિહારના રાજકારણમાંથી અત્યારના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે સત્તાવાર રીતે રાજ્યસભામાં જવાની જાહેરાત કરી દીધી છે. ગુરુવારે 5 માર્ચના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને તેમણે આ માહિતી આપી છે. આ જાહેરાત બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારમાં સત્તા પરિવર્તન થશે અને રાજ્યને ટૂંક સમયમાં કોઈ નવા મુખ્યમંત્રી મળશે.

