કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને અન્ય સંબંધિત એજન્સીઓને બાંગ્લાદેશ અને મ્યાનમારથી મહારાષ્ટ્રમાં આવતા ગેરકાયદે સ્થળાંતર કરનારાઓ સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. શિવસેનાના ઉપનેતા અને પૂર્વ સાંસદ રાહુલ રમેશ શેવાળેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાની કરેલી માંગને ધ્યાનમાં લેતા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સૂચનાઓ આપી છે. હવે, ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલ આરોપી બાંગ્લાદેશી ઘુસણખોર હોવાથી બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.