ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ હવે નક્કી થઈ ગઈ છે. શુક્રવાર, 17 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. આ શપથ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે. આ વિસ્તરણને લઈને રાજ્યના રાજકારણમાં ઉત્સાહ અને ઉત્કંઠાનો માહોલ છે.

