Raj Thackeray MNS: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર "મરાઠી ગૌરવ" અને "પરપ્રાંતીયો"નો મુદ્દો ગરમાયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ પોતાના આક્રમક અંદાજમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે ચેતવણી આપી છે કે જો મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા થોપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તો તેઓ આવી હરકત કરનારાઓને લાત મારીને રાજ્યની બહાર કાઢી મૂકશે. ઉલ્લેખનીય છે કે, BMC ચૂંટણી માટે 15 જાન્યુઆરીએ મતદાન થવાનું છે, તે પહેલાં આ નિવેદને રાજકીય વાતાવરણ ગરમ કરી દીધું છે.

