lok sabha election: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે દેશના સૌથી મોટા નેતાએ નૈતિકતા છોડી દીધી છે, લોકોની સામે નાટક કરે છે અને સત્યના માર્ગે નથી ચાલતા. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષનો અવાજ દબાવીને, તેમના બેન્ક ખાતા સીઝ કરીને અને બે મુખ્યમંત્રીઓને જેલમાં નાખીને વિપક્ષને નબળો પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રિયંકાએ કહ્યું કે તમે ‘સુપરમેન'ની ઈમેજ જોઈ અને તમને મળ્યા 'મેહંગાઈમેન'. સત્ય એ છે કે આ 10 વર્ષમાં સરકારે તમારા માટે કોઈ કામ કર્યું નથી.

