No-Confidence Motion: સંસદમાં આજે સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાનું ભાષણ આપી રહ્યા છે. સરકારના વડા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 10 ઓગસ્ટની સાંજે લોકસભામાં ચર્ચાનો જવાબ આપશે. આ ઉપરાંત લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પણ પોતાનું ભાષણ આપશે.

