મોદી સરકારે 'યુનિફાઇડ પેન્શન સ્કીમ'ની જાહેરાત કરીને સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે. બીજી તરફ આ પેન્શન યોજનાને લઈને દેશનો રાજકીય પારો ગરમાયો છે. કોંગ્રેસે 'યુનિફાઈડ પેન્શન સ્કીમ'ને લઈને મોદી સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે UPSમાં 'યુ' એટલે મોદી સરકારનો યુ-ટર્ન. તેમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં અત્યાર સુધી લેવામાં આવેલા નિર્ણયોને પણ ગણાવ્યા અને કહ્યું કે 4 જૂન પછી વડાપ્રધાનની શક્તિના ઘમંડને જનતાની શક્તિએ હટાવી દીધી છે.

