Mumbai Ganeshotsav 2026 : મુંબઈનો ગણેશોત્સવ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેમાં પણ મુંબઈના GSB સેવા મંડળના ગણપતિ તેમની ભવ્યતા અને સોના-ચાંદીના અદભુત શણગાર માટે જાણીતા છે. ગણેશોત્સવ 2026 માં આ ગણપતિ ફરી એકવાર સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વખતે મહાગણપતિની મૂર્તિ અને ઉત્સવ સાથે જોડાયેલા કિંમતી સામાન માટે 703.27 કરોડ રૂપિયાનો તોતિંગ વીમો ઉતારવામાં આવ્યો છે. વીમાની આ રકમ ગત વર્ષોની સરખામણીમાં ઘણી વધારે હોવાથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

